Wednesday, July 4, 2018

જેને દિઠે મારા નેણલાં ઠરે, બાયુ ! અમને એડા એડા સંત મળે

જેને દિઠે મારા નેણલાં ઠરે,
બાયુ ! અમને એડા એડા સંત મળે...ટેક

ઉદર માંથી એક બુંદ પડે ને, ભગત નામ ધરે,
નરક છોડાવીને ન્યારા રે’વે, અમર લોકને વરે...બાયુ


ચાલતા નર ધરતી ન દુભવે, પાપ થકી બહુ ડરે;
શબ્દ વિવેફીને ચાલે સુલક્ષણા, પૂછીપૂછી પાવ ધરે...બાયુ

ત્રિગુણ પૂતળી રમે સૂનમાં, અણઘટ ઘાટ જ ઘડે;
ગુરૂજીના શબ્દો એવા છે, ખોજે તેને ખબરૂ પડે...બાયુ

કાયાવાડીનો એક ભમરો, સંધ્યાએ ઓથ ધરે;
આ સંસારમાં સંત સુહાગી, બેઠા બેઠા ભજન કરે...બાયુ

વર્ષા ઋતુનો એક હિમ પોપટો, નીર ભેળાં નીર ભળે;
લખમાના સ્વામીની સંગે રમતાં, સ્વાતિનાં બિંદુ ઠરે...બાયુ

Jene dithe mara nenala thare bayu amne eda sant male 

No comments:

Post a Comment