Wednesday, July 4, 2018

શાંતિ પમાડે તેને તો સંત કહીએ

શાંતિ પમાડે તેને તો સંત કહીએ,
ઓ ભાઇ રે ! શાંતિ પમાડે તેને તો સંત કહીએ,
એના દાસના દાસ થઇ રહીએ.


વિદ્યાનું મૂળ મારા ગુરૂએ બતાવ્યું
ત્યારે મહેતાનો માર શીદ ખાઇએ?
કીધા ગુરૂજી ને બોધ નવ આપે,
ત્યારે તેના ચેલા તે શીદ થઇએ?


વૈદ્યની ગોળી ખાતાં દુઃખ નવ જાય
ત્યારે તેની ગોળી કેમ ખાઇએ?
લીધા વળાવા ને ચોર જ્યારે લૂંટે
ત્યારે તેની સોબતે શીદ જઇએ?


નામ અમૂલ્ય મારા ગુરુએ બતાવ્યું,
ને તે તો ચોંટ્યું છે મારે હૈયે,
મહેતા નરસૈંયાની વાણી છે સારી,
તો શામળાને શરણે જઇએ.

Shanti pamade tene sant kahiye 

No comments:

Post a Comment