સંસારમાં સુખ પામવા, કંગાલનું દુ:ખ કાપવું;
યાચક અતિથીને યથા સ્થિતિ, દાન અન્ન નું આપવું
પરણી પ્રિયા પર પ્રેમ રાખી, ઉચ્ચ કરણી આચરી;
આ ભવગતિ તરવા, ભાવથી હરદમ સમરવા હરહરિ
યાચક અતિથીને યથા સ્થિતિ, દાન અન્ન નું આપવું
પરણી પ્રિયા પર પ્રેમ રાખી, ઉચ્ચ કરણી આચરી;
આ ભવગતિ તરવા, ભાવથી હરદમ સમરવા હરહરિ
ઉત્તમ વિચારોથી નિરંતર શુદ્ધ અંતર રાખવું;
બદકર્મથી ડરવું બહું, સત્કર્મનાં સેવક થવું
રાખી સુરીતિ, નેક નીતિ, સત્ય બાબતની સમજ;
ભજવા અમર અજર એવા વૃષભ દ્વજ કાં ગરુડ દ્ધજ
બદકર્મથી ડરવું બહું, સત્કર્મનાં સેવક થવું
રાખી સુરીતિ, નેક નીતિ, સત્ય બાબતની સમજ;
ભજવા અમર અજર એવા વૃષભ દ્વજ કાં ગરુડ દ્ધજ
નિજ સુખ સ્વાર્થ સાધવા, દુ:ખ દીનને દેવું નહીં;
લાખો મળે પણ લોભ વશ થઈ, અન્યાયથી લેવું નહીં
કાળે કરી ધન, ત્રિયા અને કાયા, આ ત્યાગવું પડશે તદન;
તો સમરવા સુખ સદન તે મરદન મદન કાં મધુસુદન
લાખો મળે પણ લોભ વશ થઈ, અન્યાયથી લેવું નહીં
કાળે કરી ધન, ત્રિયા અને કાયા, આ ત્યાગવું પડશે તદન;
તો સમરવા સુખ સદન તે મરદન મદન કાં મધુસુદન
એવો વખત આવે કદી, અન્ન હોય એક જ ટંકનું;
તે'દિ આપે કરે ઉપવાસ પણ રાજી કરે મન રંકનું
એવી અજાયબ મજા લેવા, વીર દ્રઢ રાખો વૃત્તિ;
ક્ષણ ક્ષણ પ્રતિ સંભારવા ગિરિજા પતિ કાં શ્રી પતિ
તે'દિ આપે કરે ઉપવાસ પણ રાજી કરે મન રંકનું
એવી અજાયબ મજા લેવા, વીર દ્રઢ રાખો વૃત્તિ;
ક્ષણ ક્ષણ પ્રતિ સંભારવા ગિરિજા પતિ કાં શ્રી પતિ
નરનાથ ને ઘરનાથ ને જરનાથ સર્વે જાણજો;
સદ વખતમાં સદકર્મ કરજો ને અહંકાર ન આણજો
કિર્તી વરો, પર હિત કરો, આ મૃત્યુ લોક માં લેવા મજો;
"શંકર" કવિ નીતિ સજો, દુર્મત તજો ઈશ્વર ભજો
સદ વખતમાં સદકર્મ કરજો ને અહંકાર ન આણજો
કિર્તી વરો, પર હિત કરો, આ મૃત્યુ લોક માં લેવા મજો;
"શંકર" કવિ નીતિ સજો, દુર્મત તજો ઈશ્વર ભજો
No comments:
Post a Comment